કેટલાક જજ અને મેજિસ્ટ્રેટોએ પોતાની સમક્ષ થયેલા કેટલાક ગુનાઓની ઇન્સાફી કાયૅવાહી ન કરવા બાબત - કલમ : 391

કેટલાક જજ અને મેજિસ્ટ્રેટોએ પોતાની સમક્ષ થયેલા કેટલાક ગુનાઓની ઇન્સાફી કાયૅવાહી ન કરવા બાબત

કલમો-૩૮૩, ૩૮૪, ૩૮૮ અને ૩૮૯ માં ઠરાવ્યું હોય તે સિવાય (ઉચ્ચન્યાયાલયના જજ સિવાયના) ફોજદારી ન્યાયાલયના કોઇ જજ કે મેજીસ્ટ્રેટ કલમ-૨૧૫ માં ઉલ્લેખાયેલો કોઇ ગુનો પોતાની સમક્ષ કે પોતાના અધિકારનો તિરસ્કાર થાય એ રીતે કરવામાં આવે અથવા કોઇ ન્યાયિક કાયૅવાહી દરમ્યાન એવા જજ કે મેજિસ્ટ્રેટ તરીકે પોતાના ધ્યાન ઉપર લાવવામાં આવે ત્યારે તે ગુના માટે કોઇ વ્યકિત સામે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે નહી.